Description
અક્રમ વિજ્ઞાન દ્વારા પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રત્યેક વ્યક્તિને તેની સમજણમાં ફીટ બેસે એવી સચોટ સમજણ આપી છે. પછી ભલે તે બાળકો હોય, યુવાપેઢી હોય કે પછી વડીલ વર્ગ હોય.
રોજીંદા જીવનમાં ક્યારેક એવું બની જતું હોય છે કે, જે આપણે ઈચ્છીએ છીએ તે નથી કરી શકતા અને ક્યારેક વગર ઈચ્છાએ અમુક કામો કરવા પડે છે. તો આવી પરિસ્થિતિમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અદ્ભુત "નવ કલમો" રૂપી ચાવીઓ આપી છે, જે આપણા ભાવોમાં મૂળભૂત સ્તરે પરિવર્તન લાવે છે.